ખેડૂત મિત્રો, ખેતીમાં મહેનત તો તમે આખું વર્ષ કરો છો. વરસાદ ક્યારે આવશે, બજારમાં ભાવ શું મળશે—ઘણું કંઈ તમારા હાથમાં નથી હોતું. એ જ કારણથી કેન્દ્ર સરકાર PM Kisan Samman Nidhi Yojana હેઠળ દર વર્ષે ₹6000 ની સીધી આર્થિક મદદ આપે છે.
8th Pay Commission
Salary Calculator App
8મા પગાર પંચ પછી તમારું પગાર કેટલું વધશે એ જાણવા માંગો છો? હવે કોઈ અંદાજ નહીં!
- Instant salary calculation
- No complex math needed
- Latest 8th Pay Commission formula
- 100% Free & easy to use
જો તમે હજુ સુધી નોંધણી નથી કરાવી, તો હવે મોડું ન કરો. આ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે—કોઈ વચેટિયા વગર.
યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે?
Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) એક કેન્દ્રીય યોજના છે. તેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય ટેકો આપવાનો છે.
સરકાર દ્વારા વર્ષે કુલ ₹6000 ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. દર ચાર મહિને ₹2000 સીધા DBT દ્વારા તમારા બેંક ખાતામાં જમા થાય છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સંક્ષિપ્ત પરિચય
| મુદ્દો | માહિતી |
|---|---|
| યોજના નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) |
| શરૂ કરનાર | ભારત સરકાર |
| લાભાર્થી | નાના અને સીમાંત ખેડૂત |
| સહાય રકમ | ₹6000 વર્ષે (₹2000 ના 3 હપ્તા) |
| અરજી રીત | ઓનલાઈન / CSC સેન્ટર |
| વેબસાઈટ | pmkisan.gov.in |
| હેલ્પલાઈન | 155261 / 1800115526 |
PM Kisan યોજના હેઠળના મુખ્ય લાભ
1. સીધી બેંક ટ્રાન્સફર (DBT)
પૈસા સીધા ખાતામાં આવે છે. કોઈ દલાલ કે પ્રક્રિયા વિલંબ નથી.
2. નિશ્ચિત વાર્ષિક આવક
દર વર્ષે ₹6000 ની ખાતરીવાળી સહાય.
3. Kisan Credit Card (KCC) માં સરળતા
લાભાર્થીઓને KCC માટે સરળ પ્રક્રિયા.
4. પેન્શન યોજના સાથે જોડાવાનો વિકલ્પ
PM Kisan Maandhan Yojana હેઠળ વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ લઈ શકાય છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કોણ પાત્ર છે? (Eligibility)
- અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
- પોતાના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કોણ લાભ મેળવી શકશે નહીં?
- સંસ્થાકીય જમીન ધરાવતા લોકો
- સરકારી નોકરી કરતા અથવા નિવૃત્ત કર્મચારીઓ
- ઇન્કમ ટેક્સ ભરતા વ્યક્તિઓ
- સાંસદ, ધારાસભ્ય, મેયર જેવા જાહેર પદ પર રહેલા લોકો
- ₹10,000 થી વધુ માસિક પેન્શન મેળવનાર નિવૃત્ત કર્મચારીઓ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અરજી માટે જરૂરી દસ્તાવેજો
અરજી કરતા પહેલા આ દસ્તાવેજ તૈયાર રાખો:
- આધાર કાર્ડ (મોબાઈલ સાથે લિંક)
- જમીનના દસ્તાવેજ (7/12, 8-A)
- બેંક પાસબુક (આધાર સીડેડ)
- સક્રિય મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
તમે ઘરે બેઠા મોબાઈલથી પણ નોંધણી કરી શકો છો.
- pmkisan.gov.in પર જાઓ.
- ‘New Farmer Registration’ પર ક્લિક કરો.
- Rural કે Urban પસંદ કરો.
- આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
- OTP દાખલ કરીને આગળ વધો.
- જમીનની વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ‘Save’ પર ક્લિક કરો.